Posted by: Neha | May 31, 2006

સ્મૃતિ

તમને
ન પામું તો
કાંઇ નહિ પણ…..
સ્મૃતિમાં સચવાઇ રહું
તો ય ઘણું છે.

  - નેહા ત્રિપાઠી

. . . .

માનવો છે ઇશ્ર્વરનો આભાર કે સ્મૃતિ આપી મુજને
હર ઘડીએ માનસપટ પર દૅશ્યો રચતી એ કૃતિ આપી મુજને

સુખ, દુ:ખ અને આનંદની એ ક્ષણો સાચવી એને
હર ઘડીએ એનો અહેસાસ કરાવતી એ પળો આપી મુજને

શોક નથી કે નથી કોઇ પીડા એ સ્મૃતિની ક્ષણોમાં
હર ઘડી તેને મમળાવી શકાય એ મીઠાશ આપી મુજને

ડાયરીનાં પાના વચ્ચેની એ પાંખડીમાં સુગંધ નથી રાખી એને
સ્મૃતિ કેરી એ સુવાસ દ્રારા હર ઘડી જીવવાની પ્રેરણા આપી મુજને

                                                        – નેહા ત્રિપાઠી


Responses

  1. સ્મૃતિ પરથી એક રઈશનો એક શેર યાદ આવે છે….

    તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા
    ને નામ કબર પર છતાં મારું જ લખાયું

  2. l5|I G[CF4
    cc:D'lTcc wJFZF SM. ccE],FI[,F :JHGcc G[ IFN SZJFGL TS VF%IF AN, VFEFZP
    v DF{l,S

  3. સ્મૃતિમાં સચવાવાની અભિવ્યક્તિ ગમી….

  4. My first comment is unreadable because of fonts problem. Anyway I just wanted to say… “Smruti sakaar thai uthi”.

  5. Smruti matr adhi akshar no shabd adhuro chhata saune chhalkavi mukto shabd. Ishvar no abhar manvanu hu pan chukva mangti nathi………

  6. નેહાજી,

    ખરેખર દિલ પ્રફુલિત્ત થઈ ગયુ આપની રચનાઓ વાંચીને.

    ધન્યવાદ
    હાર્દિક

  7. tamari smruti sachavavani vat bahu j gami…

    હાર્દિક


Leave a response

Your response:

Categories